આદિવાસી દેવ થાનક ~ હાંવરા દેવ :- આ  હાંવરા દેવ  થાનક ફડવેલ ગામે આવેલું છે, જ્યાં આદિકાળથી આ દેવો ની પૂજા થાય છે, અહીં ઘણાં લોકો  માનતા રાખવા માટે આવે છે. એમ તો દક્ષિણ ગુજરાતના મોટા ભાગના આદિવાસી ગામમાં હાંવરા દેવનું થાનક જરૂર હોય જ છે. 

      એક વાત દરેક ગામના લોકોએ ખાસ ધ્યાનમાં લેવા જેવી છે કે જે આદિવાસી દેવ થાનક પર જે દેવ અસલ હોય એને એજ રાખવા જોઈએ, એની જગ્યાએ નવી આરસપહાણ કે પથ્થરની મૂર્તિ ઓ પ્રસ્થાપિત કરવાનું ટાળવું જોઈએ, નવી મૂર્તિઓ બેસાડી દેતા અસલ દેવનું મહત્વ  સમયાંતરે ઘટતું જતું જોવા મળે છે.

Post credit: amu adivasi (facebook)

Post a Comment