Nizar,Uchchhal, kukarmunda : નિઝર-ઉચ્છલ તેમજ કુકરમુંડા તાલુકાઓમાં નાંદુરાદેવની પૂજા કરતા આદિવાસી પરિવારો
લોકોને ગળ્યો ઘાટો પ્રસાદીમાં આપવામાં આવે છે. વનવગડામાં ઉગી નીકળતી વનસ્પતિ કે કોઈપણ ઘાસચારો પશુઓ આરોગે તો જેઓ ઉપર કોઈ કુદરતી આફત ન આવે તે માટે નાંદુરા દેવને રિઝવવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આસ્થા અને પરંપરા મુજબ છેવાડાના તાલુકામાં આદિવાસી પરિવારોએ પૂજા-અર્ચના ચાલુ રાખી છે.
ઘરમાં સુખ-શાંતિ રહે તે માટે પૂજા કરવી જરૂરી છે.
આ અંગે નિઝર ગામના પૂજારી ડોગરીયામામા (બારકિયાભાઇ પાડવી) એ જણાાવ્યું હતું કે, આ નંદુરો, પાલુડયો, ઘાટો દેવ એ એક દેવ જુદાજુદા નામથી ઓળખાય છે. જેની પુજા-અર્ચના કરવાથી વરસાદથી ઉગી નીકળેલ વનસ્પતિ કે ઘાસચારો પશુ ખોરાક તરીકે લે તો નુકસાન થતું નથી. ખેતીમાં નાખેલું અનાજ ઉગી નીકળ્યું હોય જે બગડી જતું નથી, ખેડૂતો સારી ઉપજ લણી શકે છે. છે. ઘરમાં સુખ-શાંતિ રહે તે માટે પૂજા કરવી જરૂરી છે.
Post a Comment